રતિલાલ બોરીસાગર
પાઠ = ૮
છત્રી
સાહિત્ય પ્રકાર : હાસ્યનિબંધ
સાહિત્યકૃતિ : ‘\ હસ્યમ્ ’ માંથી
લેખક પરિચય
રતિલાલ બોરીસાગર
જન્મ : ૩૧ – ૦૮ – ૧૯૩૮
જન્મસ્થળ : સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં
પિતા : મોહનલાલ બોરીસાગર
માતા : સંતોષબેન
પત્ની : સુશીલાબેન (લગ્ન:1963)માં
અભ્યાસ : એમએ,બીએડ્,પીએચડી.
વ્યવસાય : શિક્ષક અને પ્રોફેસર તરીકે સેવા આપી.
પાઠ્યપુસ્તક મંડળના નિયામક તરીકે સેવા આપી.
શબ્દ સમજૂતી
સાચી જોડણી
પરિસ્થિતિ
મિનિટ
પ્રામાણિક
ઑફિસ
ટેલિફોન
એંશી
શબ્દાર્થ
સાન્નિધ્ય = સમીપતા
કારગત = સફળ
ઓછાડ = ઢાંકવા-પાથરવાનું વસ્ત્ર
ચંચળ = ચકોર,ચાલાક
ક્ષમાયાચના = ક્ષમા માગવી તે
ગળું = ગરદન
એકરાર = હા પાડવી તે
વિરુદ્ધાર્થી શબ્દો
પહેલો × છેલ્લો
ખરીદી × વેચાણ
વ્યવહારુ × અવ્યવહારુ
સજ્જન × દુર્જન
ઉધાર × રોકડું
ક્ષમા × શિક્ષા
સંધિ છોડો
રવીન્દ્ર = રવિ + ઇન્દ્ર (ઇ + ઇ = ઈ )
વ્યવહાર = વિ + અવહાર (ઇ + અ = ય )
સજ્જન = સત્ + જન
શ્રદ્ધા = શ્રત્ + ધા
સમાસ ઓળખાવો
બે ત્રણ = બે કે ત્રણ = વૈકલ્પિક દ્વંદ્વ સમાસ
ચાતુર્માસ = ચાર માસનો સમૂહ = દ્વિગુ કર્મધારય સમાસ
પ્રભુભજન = પ્રભુનું ભજન = ષષ્ઠી તત્પુરુષ સમાસ
ચા-પાણી = ચા અને પાણી = ઇતરેતર દ્વંદ્વ સમાસ
રુઢિપ્રયોગ
ફાંફાં મારવા = વ્યર્થ પ્રયત્ન કરવો.
વિરામચિહ્ન : પ્રશ્નાર્થ ચિહ્ન :
પ્રશ્નાર્થ ચિહ્નને લીધે કેવળ વિરામ સૂચવાતો નથી પરંતુ વાક્યમાંનો ભાવ આરોહ-અવરોહ પામે છે. ઉદાહરણ તરીકે :
(૧) તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા ?
(૨) ખોવાય જ નહિ એવી છત્રી તમે રાખો છો ?
સમાનાર્થી શબ્દો
વરસાદ = વૃષ્ટિ,મેઘ,મેહ,મેહુલો,પર્જન્ય,મેવલિયો.
દિવસ = દહાડો,દિન,દી,અહર્.
જગત = દુનિયા,વિશ્વ,સૃષ્ટિ,આલમ,દહર.
ધરતી = પૃથ્વી,અવનિ,અચલા,ધરણિ,ધરા,ધરિત્રી,ભૂ,વસુધા.
શ્રદ્ધા = આસ્થા,યકીન,વિશ્વાસ,નિષ્ઠા.
સ્વાધ્યાય
પ્રશ્ન – ૧ ‘છત્રી’ પાઠના લેખકનું નામ જણાવો.
રતિલાલ બોરીસાગર
પ્રશ્ન – ૨ ‘છત્રી’ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો.
હાસ્ય નિબંધ
પ્રશ્ન – ૩ ‘છત્રી’ પાઠનો સાહિત્યકૃતિ જણાવો.
‘\ હાસ્યમ્’ માંથી
પ્રશ્ન – ૪ લેખકશ્રીના પિતાજીનું નામ જણાવો.
મોહનલાલ બોરીસાગર
પ્રશ્ન – ૫ રતિલાલ બોરીસાગરનું જન્મ સ્થળ જણાવો.
સાવરકુંડલા
પ્રશ્ન – ૬ પોતાન કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ કયો હુકમ કર્યો ?
આખા રાજયની ધરતી ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો.
પ્રશ્ન – ૭ લેખકને કઈ છત્રી ગમી ગયેલી ?
શ્યામલ શ્યામ છત્રી ગમી ગયેલી.
પ્રશ્ન – ૮ ‘છત્રી’ હાસ્યનિબંધમાં ક્યાં લેખકશ્રીની વાર્તા નોંધાયેલી છે ?
રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા નોંધાયેલી છે.
પ્રશ્ન – ૯ છત્રી ઉપર લેખકને શું લખાવાનો વિચાર હતો ?
પોતાનો બાયોડેટા લખાવાનો વિચાર હતો.
પ્રશ્ન – ૧૦ એક માણસે રાજાના કુંવર માટે શું સીવી આપ્યું હતું ?
ચામડાના બુટ સીવી આપ્યા હતા.
પ્રશ્ન – ૧૧ છત્રી લીધી પછી કેટલા દિવસે રાજકોટથી પત્ર મળ્યો હતો ?
છત્રી લીધી પછી વીસ દિવસે રાજકોટથી પત્ર મળ્યો.
પ્રશ્ન – ૧૨ છત્રી ન ખોવાય તે અંગેની સલાહમાં કઈ સલાહ પાઠમાં ઉલ્લેખ નથી ?
(A) તમે ચાતુર્માસમાં ઘરે જ રહો.
(B) એકટાણાં કરો ને પ્રભુભજન કરો.
(C) રંગબેરંગી છત્રી ખરીદો.
(D) છત્રી ઉપર નામ-સરનામું લખાવો.